વલસાડ: ધરમપુર
જો તમે રાત્રે યોગ્ય સમયે સૂઈ જાઓ છો, તો તે તમને સવારે વહેલા ઉઠવામાં ઘણી મદદ કરશે અને તમે તાજગી અનુભવશો. આ નિયમને મૂળભૂત નિયમ કહેવામાં આવે છે અને આમાં તમારે રાત્રે વહેલા સૂવું અને વહેલું ઉઠવું પડશે.
ટાઈમ મેનેજમેન્ટ
સર્વશ્રેષ્ઠ કામ રાત્રે નહીં, સવારે જ થાય છે. “રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર, બળ-બુદ્ધિ ને ધન વધે સુખમાં રહે શરીર’’– આ કહેવતની અવગણના કરાય છે. આ તર્ક ધૃણાસ્પદ છે. સવારે ચાર વાગ્યે ઊઠવાથી પણ શાંતિ રહે છે અને તેમાં કામ પ્રમાણમાં વધુ સારું થાય છે. આ સમયે જાગવું માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે સારું માનવામાં આવે છે. સવારે કામની ઝડપ વધુ હોય છે કારણ કે શરીર અને દિમાગ બંને તાજા હોય છે.
યાદશક્તિ અને એકાગ્રતામાં સુધારો કરવા માટે જાગવાનો આ ઉત્તમ સમય છે. હવા સ્વચ્છ જોવા મળે છે. ધ્યાન માટે આ શ્રેષ્ઠ સમય છે, આધ્યાત્મિક પુસ્તકો વાંચવા અને કસરત કરવા માટે પણ આ શ્રેષ્ઠ સમય છે.
સ્વયંની કિંમત જાણવી આવશ્યક છે.
વ્યક્તિએ સ્વયં વિશે સારી રીતે જાણી લેવું જોઈએ. ઘણી વખત આપણે આપણું મૂલ્યાંકન અન્યની નજરથી આંકીએ છીએ. પોતાની કિંમતની સ્વયંની આંતરિક સમૃદ્રતાથી આંકવી જોઈએ. આપણે અંદરથી જેટલા મજબૂત છીએ, જેટલો આત્મવિશ્વાસ આપણામાં છે, આપણી કિંમત તે જ પ્રમાણમાં થશે.
ઇચ્છાઓ પર કઈ રીતે નિયંત્રણ મેળવવું
તમામ સિદ્ધિઓનું પ્રારંભિક બિંદુ ઇચ્છા છે. નબળી ઇચ્છાઓ નબળાં પરિણામો લાવે છે. જો તમે તમારામાં નિશ્ચયનો અભાવ અનુભવો છો તો તમારી ઇચ્છાઓ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવો. શરૂઆતમાં ધીમે ધીમે આગળ વધો અને પછી તમારી ઝડપ વધારતા રહો, માનસિક જડતા તોડીને બહાર આવો. આવું સતત કરતા રહો.
તણાવથી કઈ રીતે જીતવું
મોટાભાગના કામોમાં સ્ટ્રેસ હોય જ છે. જો ન હોય તો કામ કંટાળાજનક બની જશે. જે વ્યક્તિને સ્ટ્રેસ છે, જ્યારે આપણું વર્તન બદલાઈ જાય છે, લોકો હંમેશા ધૈર્યવાન રહ્યા તે ધીરજ ગુમાવવા લાગે છે. શાંત લોકો તણાવગ્રસ્ત બને છે. ત્યારે દેખાય છે સ્ટ્રેસનો સામનો કરવા પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરો. આરામ કરો, શેપમાં રહો, નિયમિત વ્યાયામ, કસરત કરો.